Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts
Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts

Friday, 9 October 2020

ચારસો મીટર ની રેસ


ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...
પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...
આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા,  મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."*

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."

આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
*હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "*

*સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
*આ જ ધર્મ છે...*

*આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....*

નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...

*જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ...* કોઈ નો યશ ચોરી લેવો... કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...
 
*આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...*
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....

Wednesday, 24 June 2020

ચકલીનું બચ્ચુ

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે


"અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

બધા વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુની ઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*

Sunday, 3 May 2020

હમેશાં સારા બનો

               પૂનમ પછીના દિવસે એક ભિખારી એક સજ્જન શેઠની દુકાને ભીખ માગવા પહોચ્યો ! સજ્જન શેઠે ભિખારીને ૫ રૂપિયા આપ્યા | ભિખારીને તરસ લાગી હતી તેથી તેણે સજ્જન શેઠ પાસે પાણી માંગ્યું અને કહ્યું શેઠ ગળું સુકાય છે પાણી પીવડાવો અને સજ્જન શેઠે પિત્તો ગુમાવી કહ્યું તારા બાપના નોકર બેઠા છે તો અહીંયા પહેલા પૈસા પછી પાણી થોડી વાર પછી ખાવાનું માંગશે. નીકળ અહીંથી ભાગ !                        

ભિખારી બોલ્યો -  શેઠ ગુસ્સે ના થશો પાણી બીજે કયાંક પી લઈશ. પણ મને યાદ છે કે કાલે પૂનમના દિવસે તમારી દુકાન પાસે તમે શરબત ની સેવાનો કેમ્પ લગાવી બેઠા હતા અને તમે પોતે પ્રેમથી આગ્રહપૂર્વક લોકોને શરબત પીવડાવતા હતા મને પણ આપે બે ગ્લાસ શરબત પીવડાવ્યો હતો. તો મે વિચાર્યુ કે શેઠ બહું દયાળુ અને ધાર્મિક માણસ છે પણ આજે મારો એ ભ્રમ તુટી ગયો કાલે શરબતની પરબ લોકોને દેખાડવા માટે કરી હતી આજે મને કડવા વચન કહી તમે તમારું કાલનું પુણ્ય ખોઈ નાખ્યું. મને ક્ષમા કરજો કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો...                       

સજ્જન શેઠ ને લાગી આવ્યું અને ગઈકાલ નું દ્રશ્ય સામે તરવરવા લાગ્યું અને પોતાની ભૂલનો અહેસાસ થયો પોતે ગાદી પરથી ઉતરી પોતાના હાથે ગ્લાસ પાણી ભરી ભિખારીને પીવડાવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા.                       

ભિખારી -- શેઠ મને કોઈ ફરીયાદ નથી પણ જો માનવતાને પોતાના મનની ઉંડાણમાં વસાવી ના શકીએ તો એક બે દિવસના પુણ્ય વ્યર્થ છે. માનવતાનો મતલબ હમેશાં સરળતાથી નિરાભિમાની બની જીવોની સેવા કરવી હોય છે. આપને આપની ભૂલનો અહેસાસ થયો તે તમારા અને તમારા સંતાનો માટે સારી વાત છે. આપનું અને આપના સંતાનોનું હમેશાં સ્વાસ્થ્ય સારું દીર્ધાયુ બની રહે તેવી મંગલકામના કરું છું.
કહી ભિખારી આગળ નીકળી ગયો.                                 

શેઠે તરત પોતાના પુત્રોને આદેશ કરી કહ્યું કાલથી બે મોટા ઘડા પાણી ભરીને દુકાન આગળ મુકવા જેથી આવવા જવા વાળાને પાણી પીવા મળે. શેઠને પોતાની ભૂલ સુધારવા માટે ખુશી થઈ રહી હતી.                               

ભાવાર્થ-- ફક્ત દેખાડો કરવા માટે કરવામાં આવતા દાનપુણ્યકર્મ નિષ્ફળ ગણાય છે. દરેક પ્રાણી માત્ર માટે તમારા મનમાં શુભકામના શુભભાવ હોય તો જ સાચું પુણ્ય મળે છે. પ્રસંગોપાત સારા બનો છો તેવા સદા બની રહો. હમેશાં સારા બનો તમને સારા જ મળશે.

Tuesday, 19 March 2019

ચોકીદાર

🌹ચોકીદાર 🌹

ચોકીદાર કેવો હોય તે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણાક્ષરે અંકિત થયેલો પ્રસંગ જરૂરથી યાદ કરવો પડે... રાજાશાહીના સમયગાળામાં ભાવનગર સ્ટેટમાં " મુબારક " નામનો એક ચોકીદાર ની નોકરી કરતો હતો. મુબારકની ઈમાનદારી ઉપર ભાવનગરના પ્રજાવત્સલ્ય રાજવી ને એટલો ભરોસો કે નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓ પણ મુબારક પાસે જ રાખવાની.....
મુબારક પાસે જે રાજખજાનાની ચાવીઓ રહેતી એમાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા , મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો,
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો , મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ... મહારાણી ને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં .... થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી, ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારક એ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું... ભાવનગર મહારાજા એ પણ મુબારકને કોઈ ઠબકો આપ્યા વગર જવા દીધો ... પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા " આણ " થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે " જો મેં ઈમાનદારી પૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણ માંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને " બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો....
કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે... " સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય " એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પેટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો.... તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો... રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે " મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો " સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયા ની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી ...
હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ " આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે " હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી " બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી ... ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી " ચોકીદાર " તરીકે નોકરીએ રહેવા સહમત થયો ... વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો .. મુબારક ની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી ...
વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે " નિલમબાગ પેલેસનો ચોકીદાર " મુબારક " આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે ... મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા .. પોતાના સેવકોને આદેશ કર્યો કે " મુબારક " નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે...
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજા એ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું  કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી... ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે " નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ " જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત ? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે " ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે " અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર " મુબારક " નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજા એ એક ઈચ્છા વ્યક્ત કરી ને એ ઈચ્છા પુરી પણ કરી કે " મારા મુબારક ને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ " ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી... આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં " મુબારક " ની કબર છે અને  ભાવનગરના મહારાજા એ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે " ધ લોક ઓફ નિલમબાગ "

Monday, 22 October 2018

ડૂબી ગયેલી ખીલી

ગુરુજીએ એકવાર "એક ખીલ્લી" પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર ગુરુજીએ "લાકડું" નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે ગુરુજીએ ડૂબી ગયેલી ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...

ગુરુજીએ બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...

કોઈપણ રીતે,  કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે  જોડાયેલા રહેવું...

લાકડુ એક સમાજના રૂપમાં છે બાકી આપણે સહુ તો ખીલ્લી જ છીએ

Monday, 15 October 2018

નજરનું ઓપરેશન તો શક્ય છે પણ...


એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું......
તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તોય...”
બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!!
થોડુંક મમળાયું...!!!
તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.
...

બસ ત્યારે........

તેના આ નાનકડા બાળકે

ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું...

*“આ લો બાપુ... આવડુઆ વધારે મીઠું છે...!”*
...

*કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...*
..
કોઈએ કેટલું સરસ કહ્યું છે.
*“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!”*
ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે,
નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,….

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

Wednesday, 5 September 2018

નેગેટિવ ફીલીંગ્સ

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં  2000 રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરૂ કર્યું.

આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો.

ભાષણ શરૂ કરતાં જ તેમને હાથમાં પકડેલી 2000 ની નોટ બતાવતા પૂછ્યું,

“કોને જોઈએ છે આ 2000  રૂપિયાની નોટ ?”

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.

એમણે કહ્યું,

“ભલે,
જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ 2000 ની નોટ આપીશ...

પણ

એ પહેલાં મારે કઈક કહેવું છે.”

એમ કહી એ 2000 રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.

ખંડમાં સન્નાટો છવાઈ ગયો.

ચૂંથેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું,

“હજુ પણ આ 2000 ની નોટ કોને જોઈએ છે?”

ફરી હાથ ઉપર થવા લાગ્યા.

“ભલે” કહી એમણે એ 2000 રૂપિયાની નોટ જમીન પર ફેંકી દીધી

અને

તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરીને પૂછ્યું.

“હજુયે આવી ખરાબ
અને
ધૂળવાળી નોટ કોને જોઈએ છે ?”

છતાંયે

બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા...

પછી

એમણે કહ્યું,

“મારા પ્રિય મિત્રો,

આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ...

નોટને મેં ડૂચો કરી,
રગદોળી
છતાં તમારે તે જોઈએ છે,

કારણ કે તમને ખબર છે

કે

આનાથી એની કિંમત ઘટશે નહિ.

અત્યારે પણ તેની કિંમત 2000 રુપીયા જ છે.

આવી જ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ,

ખોટા નિર્ણયો

કે

ભૂલને લીધે હતાશ,  નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.

આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ

અને

આપણને લાગે છે

કે

આપણે સાવ નકામાં થઇ ગયા છીએ

પણ

એવું નથી.

કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી.

આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”

આમ,

નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવું જ માનવજીવનનું પણ છે.

સંજોગોને લીધે તે પછડાય, કચડાય

– ગમે તે થાય
છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી...

પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,

પણ

નેગેટિવ ફીલીંગ્સ ના કારણે, 99% લોકો દુઃખી થાય છે......✍

Tuesday, 4 September 2018

ચકલીનું બચ્ચુ

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે

" અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ ? "

બધા વિચારમાં પડી ગયા કોઇએ એવુ કાંઇ કયૂઁ નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું.

મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે.

તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘષઁથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘષઁ .

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ.

આ વિચાર સંતાન માટે નુકશાન કારક છે .

સંતાન પછી કયાંથી ,શેકેલો પાપડ ભાંગે"....!!!!

Saturday, 25 August 2018

શિક્ષક

🙏🏻વિચાર વિમર્સ 🙏🏻
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.🙏🏻🙏🏻

Thursday, 23 August 2018

એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

🕊             એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા. "લાગે  છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?"  પત્ની બોલી.
🕊        પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું. એક બે દિવસ પછી ફરી એ જ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!" પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.
🕊          લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!
🕊           "પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા.""તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું." આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાતપૂરી કરી.

🕊
મોરલ:-
         જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે :
                  ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!.

🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...