Sunday, 8 January 2023

ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત

ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત


એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું ? 


તેમનો જવાબ ખુબ માર્મિક હતો..


 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેનું તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...


 શું આપણે કપાસિયા મોઢામાં નાખી ખાઈ શકીએ ? 


 સૂર્યમુખી ના બી કોઈ વાર નાખજો મોઢા માં... 


 ચોખા ના વળી તેલ નીકળે ? 


આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખવું  ?


ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે..  પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ સીંગતેલ ની બોલબાલા છે..

તમને ઓલિવ તેલ ના પાટે ચડાવી કેન્સર જેવી બીમારીના ભોગ બનાવી દીધા


BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ ? તેમાં કેટલું ઝેર હોય અને કેટલી જીવાત??


એક વાર ઘાણી માં જઈને જોજો..  ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...

સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે ?

આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..


રહી વાત બદામ ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો ?

દક્ષિણ ભારત માં ખાસ કરીને કેરલમાં  કોપરા નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

આપણે ત્યાં  સદીઓ થી તલ અને સીંગ ના તેલ ની બોલબાલા છે.. 

પણ ઓલી તેલની જાહેરાત માં આવે અને તમે દર મહિને મૂર્ખા બની તેલ બદલી નાખો !

કેટલાક વળી મહા મૂર્ખા કોલર ઊંચો કરી ને કહેતા ફરે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈએ..... અરે અક્કલમઠા ખાટલા માં ટરફડી વહેલો મરીશ


અમેરિકા માં થયેલ સંશોધન મુજબ  ઘાણી નું  સીંગતેલ જ વિશ્વ નું શ્રેષ્ઠ તેલ છે...

દરેક હાલતું  ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા નાં  તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...

મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધબકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં રાતડી રાણ્ય જેવા રહેવું હોય તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું કાળા તલ નું અને મગફળીનું સીંગતેલ આખા વર્ષ માટે ભરી લો... 

જ્યાં સુધી ઠંડી હોય તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા અને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી તરત ખાઈ લેવું  ..


 (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા BT કપાસનાં તેલ માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )


ઘણાં પાછા એકદમ દોઢા થાય.... અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાજું  જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તૈયાર થાય અને ભુરવા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..


શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું ?

અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. ..  મજા  આવશે..


બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે ,એ લોકો પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ જ લાવી ને ખાઈ રહ્યા છે..


રમેશાનંદ શાસ્ત્રી - કૃષિ, જ્યોતિષ,આયુર્વેદ ચિકિત્સક

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...