Wednesday, 24 June 2020

ચકલીનું બચ્ચુ

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે


"અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

બધા વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુની ઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*

Wednesday, 17 June 2020

44 - 66

શિક્ષક - તમારો બાબો ૧ થી ૧૦૦ એકડા બોલવાનું કવ તો ૪૫ પછી સીધું ૬૬ બોલે છે.


વાલી - મે ઈ ડોબા ને કેટલી વાર કહ્યું ૪૫ પછી ૪૬ ન આવે.

પણ.... 

જે વખત તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયું ગયું અને ફરી આવ્યું ત્યારે તમે ૬૬ પોહચી ગયા હતા. 

તો હવે એ કહે છે, મારા સાહેબ એ આમ જ શીખવાડ્યું છે. 

ઓનલાઇન માં તો ડખ્ખા વાળું છે ...હોં ...આમા તો આવુ રેવા નુ...!

RIP એટલે શું?

RIP એટલે શું ? ?

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો
ખુબજ ઉપયોગ કરે છે ...

What is Rest in Peace ( RIP ) ?

આજકાલ કોઈના નિધન પછી RIP લખવાની જાણે ફેશન ચાલી છે.

વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને.

RIP શબ્દનો અર્થ છે
Rest in Peace"
(શાંતિથી આરામ કરો)

આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય.

ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ
‘Judgement Day’
કે
"क़यामत का दिन"
આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે.

એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે.

પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે.
એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે.

માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે.

એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે.

મિત્રો,
હિંદુ જીવાત્મા માટે
*‘શ્રદ્ધાંજલિ’*
or
‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’  અર્થાત મોક્ષ પ્રાપ્તિ
જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય.

ક્ષમા સહ.......

Monday, 15 June 2020

Were are you going

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે
– તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.

રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
– તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.

કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે.
– વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.

કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?

ગાઢ અંધારૂ છે એ ય સાચું –
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?

આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...